કોલેરા / Cholera (Cholera) નો ઈલાજ
લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.લીંબુ અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.કાંદાના રસમાં ચપટી હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.પાણીમાં લવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.કાંદા સાથે કપુર ખાવાથી કોલેરા મટે છે.
No comments:
Post a Comment