શરદીનો ઘરગથ્થુ ઉપાય
લીંબુ હંમેશા શરદી માટે ઉત્તમ રહ્યું છે જે હમેશા શરીરની પ્રતિરોધકતા વધારે છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં 1 ચમચી લીંબુનો રસ
ઉમેરી તેમાં 1 ચમચી મધ ઉમેરી દિવસમાં બે વખત લેવું.
1 ચમચી મરી પાઉડરને 1 કપ દૂધમાં ઉકાળવું. તેમાં ½ ચમચી હળદર ઉમેરો તથા સ્વાદ માટે સાકર પણ ઉમેરી શકો છો. આ
ઉકાળેલું દૂધ ત્રણ દિવસ સુધી દિવસમાં એકવાર લેવાથી શરદીમાં રાહત રહેશે.
3 થી 4 ચમચી ડુંગળીના રસમાં 3 થી 4 ચમચી મધ ભેળવી લઈ શકો છો.
સૂંઠ કાળા મરી અને તુલસીનાં પાનનો ઉકાળો શરદી ઉપર લાભદાયક છે.
કાળા મરીના 2 થી 3 દાણા તુલસીના પાન સાથે ચાવવાથી શરદી દૂર થશે.
લવિંગના તેલને રુમાલમાં નાખી સૂંઘવાથી શરદીમાં રાહત રહેશે.
તુલસી,સૂંઠ, મરી અને ગોળનો ઉકાળો શરદી પર રાહત આપે છે.
No comments:
Post a Comment